વર્લ્ડકપ 2019: કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા ભારત-પાકિસ્તાન મેચ જોવા પહોંચ્યા, જાણો વિગત
abpasmita.in | 16 Jun 2019 09:31 PM (IST)
ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો નીહાળવા બોલીવુડ સેલિબ્રિટી સહિત રાજકારણીઓ પણ પહોંચ્યા છે.
માનચેસ્ટરઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 140 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 77 અને લોકેશ રાહુલે 57 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી આમિરે 3 વિકેટ લીધી હતી. 337 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પાકિસ્તાને 16 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 75 રન બનાવી લીધા છે. ફખર જમાન 38 અને બાબર આઝમ 28 રને રમતમાં છે. ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો નીહાળવા બોલીવુડ સેલિબ્રિટી સહિત રાજકારણીઓ પણ પહોંચ્યા છે. બોલીવુડમાંથી રણવીર સિંહ, સૈફ અલી ખાન, પૂજાબેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પણ મેદાન પર હાજર છે. સાઉથની સુપર સ્ટાર લક્ષ્મી માંચુ અને રકુલ પ્રીત પણ મેચની મોજ માણવા માનચેસ્ટરમાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર પણ ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ માણવા પહોંચ્યા છે. વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક ફટકો, પાકિસ્તાન સામે માત્ર 16 બોલ ફેંક્યા બાદ આ બોલરે ઇજાના કારણે છોડવું પડ્યું મેદાન વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મુકાબલો નીહાળવા પહોંચેલા સૈફ અલી ખાને શું કહ્યું ? જુઓ વીડિયો વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું, જાણો વિગત