BCCI યુવરાજ સિંહને ન આપ્યા ત્રણ કરોડ, હવે આ પગલું લેવા જઈ રહ્યો છે યુવી
યુવરાજ સિંહ પોતાના બાકી પૈસા માટે બીસીસીઆઈના અધિકારીઓને લેટર લખી ચૂક્યો છે. જ્યારે તેના સાથી ખેલાડી આશીષ નેહરા પણ ઈજાગ્રસ્ત થવાને કારણે આઈપીએલ 9ની પાંચ મેચ નહોતા રમી શક્યો. પરંતુ બીસીસીઆઈએ તેની બાકી તમામ રકમ ક્લિયર કરી દીધી છે.
બીસીસીઆઈના નિયમો અનુસાર જો કઈ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે ઈજાગ્રસ્ત થાય અને તે કારણે આઈપીએલ ન રમી શકે તો તેની ફી બોર્ડ આપે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી યુવરાજ પોતાના 3 કરોડ રૂપિયા માટે બીસીસીઆઈના ચક્કર કાપી રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજ બીસીસીઆઈ સામે સુપ્રીમ કોર્ટ દ્વાર બનાવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનને પોતાની ફરિયાદ આપી શકે છે.
નવી દિલ્હીઃ 2011માં જે યુવરાજ સિંહને મેન ઓફ ધ સીરીઝ બનીને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો હતો તે યુવરાજ સિંહ વિતેલા દોઢ વર્ષથી પોતાના 3 કરોડ રૂપિયા માટે બીસીસીઆઈના ધક્કા ખાઈ રહ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ 3 કરોડ આઈપીએલની તેની ફીસની બાકી રકમ છે. 2016માં ટી20 વિશ્વકપમાં રમતા યુવરાજ સિંહ ઘાયલ થયા હતા. ઘાયલ થવાને કારણે 2016માં રમાયેલ આઈપીએલ 9માં પોતાની ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદ માટે શરૂઆતના 7 મેચ રમી શક્યા ન હતા.