સુરતઃ ઋત્વિજ પર કુવેચનું પાણી ફેંકાયું, પાઘડી ખેંચી લેવાઈ, ઋત્વિજે પાસ કાર્યકરોને ગણાવ્યા 'કોંગ્રેસના ભાડૂતી ગુંડા'
આ ધમાલ પછી ભાજપે રેલી પૂરી કરી હતી અને ઋત્વિજ પટેલે જાહેર સભા સંબોધી હતી. આ સભામાં ઋત્વિજે કહ્યું હતું કે, કોંગ્રેસે 3 ભાડુતી ગુંડા લાવીને તેની હલકી મનોવૃત્તિનું દર્શન કરાવ્યું છે. હવે જો કાંકરીચાળો કરાશે તો ભાજપ યુવા મોરચો તેનો જડબાતોડ જવાબ આપશે.
થોડા સમય અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણીના અભિવાદન કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભારે ધમાલ કરાઇ હતી. તેના કારણે કાર્યક્રમ ટૂંકાવવાની ફરજ પડી હતી અને અમિત શાહે માત્ર 4 મિનિટમાં પ્રવચન ટૂંકાવી દેવું પડ્યું હતું.
પાસના કાર્યકરોએ ડો. ઋત્વિજ પટેલના ફુલહારમાં ખુજલી ચડે તેવો પાઉડર ભેળવી દીધો હતો. આ ઉપરાંત તેમના પર ખુજલી ચડે તેવી કુવેચ ભેળવેલું પાણી પણ ફેંકાયું હતું. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે ભાજપના કાર્યકરોએ પાસના કાર્યકર વિજય માંગુકીયાને ઢોરમાર મારી લોહીલુહાણ કરી દીધો હતો.
ડો. ઋત્વિજ પટેલની બાઇક રેલી દરમિયાન અચાનક પાસના કાર્યકરો દ્વારા ઇંડાનો મારો ચલાવવાનું શરૂ કરાતાં ધમાચકડી મચી ગઇ હતી. પાસના કાર્યકર દ્વારા રેલીમાં નિકળેલી બાઇકો પર શાહી, પાણીના પાઉચ, ફુલ વિગેરે ફેંકીને અરાજકતા ફેલાવવાના પ્રયાસ કરાયા હતા.
સુરતઃસુરતના વરાછા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુકત પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકરોએ અચાનક હુમલો કરીને ઋત્વિજ પટેલની પાઘડી જમીન પર ફગાવી દીધી હતી. પાસ કાર્યકરોએ ઋત્વિજ પર કાળી શાહી ફેંકતાં સનસનાટી મચી ગઈ હતી.