રેશનકાર્ડ e-kyc નહીં કરાવનારા ગ્રાહકોનો રેશનીંગનો પુરવઠો બંધ કરી દેવામાં આવતા હાહાકાર મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે રેશનકાર્ડ e-kyc કરવામાં ન આવતા રેશનકાર્ડ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજય સરકાર દ્વારા રાશનકાર્ડ e-kyc મુદ્તમાં વખતો વખત વધારો કરવામાં આવ્યો હતો.
રાશનકાર્ડ ઈ કેવાયસી માટે રાજય સરકાર દ્વારા પોસ્ટ ઓફીસ, ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા સહિતની વિવિધ સંસ્થાઓનો સહારો લેવામાં આવેલ છે તેમ છતાં આજ દિવસ સુધી રાજયના માત્ર 74 લાખ એનએફએસએ રેશનીંગ કાર્ડ ઈ કેવાયસી પૂર્ણ થયેલ નથી.
રાશન કાર્ડ e KYC કરાવવું જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. સરકારે અત્યાર સુધીમાં રાશન e kyc સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે. e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
રાશનકાર્ડ e-KYC કેમ જરુરી ?
એક અંદાજ મુજબ 23.5% રાશન કાર્ડનું વેરિફિકેશન બાકી છે. તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer). KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે.
ઘરે બેઠા રાશન e-KYC કરી શકો
સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘e kyc ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.
જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.
રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરુરી છે. જો સમયસર તમે e-KYC નહીં કરાવો તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.