Solar Power: બધતા વીજ બિલ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે આજે સોલર એનર્જીનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સરકાર પણ લોકોને સોલર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શું સરકારી વીજ કનેક્શન સંપૂર્ણપણે કાપીને માત્ર સોલર પેનલ અને બેટરીના આધારે જ આખું ઘર ચલાવી શકાય?

Continues below advertisement

 

Continues below advertisement

જવાબ છે: હા, આ શક્ય છે. પરંતુ આ માટે ઘરને 'ઓફ-ગ્રીડ સોલર સિસ્ટમ' (Off-grid Solar System) પર શિફ્ટ કરવું પડે છે.

દિવસ અને રાત્રિ દરમિયાન કેવી રીતે મળે છે વીજળી?

દિવસ દરમિયાન સોલર પેનલ સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે, જેનાથી ઘરના તમામ ઉપકરણો ચાલે છે. જરૂરિયાત કરતાં વધુ બનતી વીજળી બેટરીમાં સ્ટોર થાય છે. રાત્રે જ્યારે સૂર્યપ્રકાશ નથી હોતો, ત્યારે આ બેટરી જ ઘરના પંખા, લાઈટ, ટીવી અને ફ્રિજ જેવા ઉપકરણોને પાવર સપ્લાય આપે છે. આજકાલ લાંબા બેકઅપ અને ઝડપી ચાર્જિંગ માટે લિથિયમ-આયન (Lithium-ion) બેટરીઓ વધુ પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો...Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક

સિસ્ટમ સાઈઝ અને વાદળછાયા વાતાવરણનું ગણિત

 તમારા ઘર માટે કેટલી સોલર પેનલ અને કેટલી ક્ષમતાની બેટરી જોઇશે, તેનો આધાર દૈનિક યુનિટ વપરાશ પર રહેલો છે. ચોમાસામાં કે વાદળછાયા વાતાવરણમાં જ્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય છે ત્યારે પેનલ ઓછી વીજળી બનાવે છે. આવી સ્થિતિમાં સતત બે-ત્રણ દિવસ સુધી તડકો ન નીકળે તો બેટરી ડિસ્ચાર્જ થવાનું જોખમ રહે છે. તેથી જ 100% સોલર આધારિત ઘર માટે એક્સ્ટ્રા બેટરી બેકઅપ હોવું જરૂરી બની જાય છે.

શું AC અને ગીઝર જેવા ભારે ઉપકરણો ચાલી શકે?

હા, સોલર પર AC, વોશિંગ મશીન, વોટર મોટર અને માઇક્રોવેવ જેવા ભારે ઉપકરણો પણ ચલાવી શકાય છે. જોકે, આ ઉપકરણો વધુ વીજળી ખેંચતા હોવાથી તે માટે મોટી ક્ષમતાવાળી સોલર પેનલ અને વધુ પાવરવાળી બેટરી સ્ટોરેજ ડિઝાઈન કરાવવી પડે છે. ટૂંકમાં, યોગ્ય આયોજન અને ક્ષમતા મુજબની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે તો સરકારી વીજળી વગર પણ આખું ઘર સોલર પાવર પર સફળતાપૂર્વક ચલાવી શકાય છે.