New Online Gaming Rules: દેશમાં આજથી ઓનલાઇન ગેમિંગને લઈને નવા નિયમો લાગુ થઈ ગયા છે. સરકારના Promotion and Regulation of Online Gaming Rules, 2026 આજથી દેશભરમાં લાગુ થઈ ચૂક્યા છે. આ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝને વ્યવસ્થિત કરવાની સાથે-સાથે ગેમર્સને પણ એક સેફ ડિજિટલ સ્પેસ આપશે. આ નિયમો લાગુ થવાથી ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીને સેન્ટ્રલાઇઝ્ડ લીગલ ફ્રેમવર્ક મળશે. નવા નિયમો હેઠળ ઓનલાઇન ગેમિંગને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને હવે મની ગેમ્સ પર પૂરી રીતે રોક લગાવી દેવામાં આવી છે. ચાલો વિગતવાર જાણીએ કે નવા નિયમો લાગુ થવાથી શું અસર પડવાની છે.

 

New Online Gaming Rules થી શું બદલાશે?

નવા નિયમો યુઝર સેફ્ટી, સેફ ગેમિંગ અને આ ઇન્ડસ્ટ્રીની ગ્રોથને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી અલગ-અલગ રાજ્યોના અલગ-અલગ નિયમો હતા. આ નિયમો હેઠળ હવે આ પ્રકારની કન્ફ્યુઝનને દૂર કરવાની કોશિશ કરવામાં આવી છે. આ નિયમો લાગુ થવાથી હવે પૈસા લગાવીને રમાતી ગેમ્સ પૂરી રીતે બેન થઈ ગઈ છે. નિયમોના ઉલ્લંઘન પર પણ કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ ઓનલાઇન પેઇડ ગેમિંગના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરશે તો તેને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. તેવી જ રીતે જો કોઈ ઓનલાઇન પેઇડ ગેમિંગની જાહેરાત કરે છે તો તેના માટે 5 વર્ષ સુધીની સજા અને 2 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.

Continues below advertisement
Continues below advertisement

આ પણ વાંચો... AC Invention: કેવી રીતે થઈ હતી AC ની શોધ? કહાની જાણીને વિશ્વાસ નહીં આવે

ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી ગેમ્સ

નવા નિયમો હેઠળ ગેમિંગને ત્રણ કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે. E-sports માં પ્રોફેશનલ અને કોમ્પિટિટિવ ગેમિંગ, સ્કિલ અને સ્ટ્રેટેજી પર બેઝ્ડ ગેમ્સને રાખવામાં આવી છે. Online Social Games માં એન્ટરટેઈનમેન્ટ અને લર્નિંગ તેમજ સામાન્ય રીતે સેફ માનવામાં આવતી ગેમ્સને રાખવામાં આવી છે. ત્રીજી કેટેગરી Online Money Games છે, જેના પર પૂરી રીતે બેન લગાવી દેવામાં આવ્યો છે. એક સેન્ટ્રલ ઓથોરિટીને ગેમની કેટેગરી સેટ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

ગેમર્સ પર આની શું અસર પડશે?

નવા નિયમોમાં ગેમર્સની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા નિયમોમાં યુઝરની એજ વેરિફિકેશન, ટાઈમ લિમિટ કંટ્રોલ, પેરેંટલ કંટ્રોલ અને ગ્રિવાન્સ રિડ્રેસલ સિસ્ટમને જરૂરી કરવામાં આવી છે. આનાથી ગેમિંગની લત પર લગામ લગાવવામાં થોડી મદદ મળવાની આશા છે. આ નિયમોથી લોકોને આર્થિક નુકસાનથી બચાવવામાં પણ મદદ મળશે.