Smartphone Tips:  સ્માર્ટફોન આજે આપણી રોજિંદી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. આજે બેંકના કામથી લઈને ઓફિસના કામ સુધી, સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન પેમેન્ટ સુધી, લગભગ દરેક જરૂરી કામ આજે સ્માર્ટફોન દ્વારા શક્ય બન્યા છે.

Continues below advertisement

 

Continues below advertisement

તેવામાં ઘણા લોકો પોતાના સ્માર્ટફોનને લાંબા સમય સુધી સ્વિચ ઓફ કે રીસ્ટાર્ટ (Restart) કરતા નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ફોનને આખા 1 વર્ષ સુધી રીસ્ટાર્ટ જ કરવામાં ન આવે તો શું થશે? ચાલો જાણીએ પૂરી વિગત.

આ પણ વાંચો... ChatGPTનું મોટું અપડેટ! હવે સમયસર મળશે દરેક બાબતનું એલર્ટ, જાણો કેવી રીતે કામ કરે છે આ નવું ફીચર

Smartphone ને રીસ્ટાર્ટ કરવો કેમ જરૂરી છે?

આજના એડવાન્સ સ્માર્ટફોન પહેલાની સરખામણીમાં ઘણા વધારે શક્તિશાળી અને ભરોસાપાત્ર છે પરંતુ તેમને સતત અટક્યા વગર ચલાવવા માટે બનાવવામાં આવ્યા નથી. સમયની સાથે કેટલાય એપ્સ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે, ઘણી બધી ફાઈલો જમા થતી રહે છે અને સોફ્ટવેરને લગતી કેટલીક સમસ્યાઓ સિસ્ટમમાં રહી જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાથી ડિવાઈસનું ઓપરેટિંગ સિસ્ટમ ફરીથી લોડ થાય છે, બેકગ્રાઉન્ડ પ્રોસેસ બંધ થઈ જાય છે અને આપોઆપ જ ઘણી બધી નાની-મોટી મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. આનાથી થાય છે એવું કે તમારા ફોનનું પરફોર્મન્સ પહેલા કરતા વધુ સારું થઈ જાય છે.

1 વર્ષ સુધી ફોન રીસ્ટાર્ટ ન કર્યો તો શું થશે?

હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો તમારો સ્માર્ટફોન આખું વર્ષ સતત ચાલુ રહે છે તો જરૂરી નથી કે તે અચાનક ખરાબ થઈ જાય. જો કે, સમયની સાથે કેટલીક સમસ્યાઓ સામે આવી શકે છે.

  • ફોન સ્લો થઈ જવો: લાંબા સમય સુધી રીસ્ટાર્ટ કર્યા વગર ફોન ચલાવવાથી સિસ્ટમ મેમરી (RAM) પર વધારે દબાણ આવી શકે છે. આના કારણે ફોન પહેલાની સરખામણીમાં સ્લો કામ કરવા લાગે છે. એપ્સ ખુલવામાં વધુ સમય લઈ શકે છે અને મલ્ટિટાસ્કિંગનો એક્સપિરિયન્સ પણ પ્રભાવિત થઈ શકે છે.
  • એપ્સ ક્રેશ થવાની સંભાવના: ઘણી એપ્સ લાંબા સમય સુધી સતત ચાલવાને કારણે અસ્થિર થઈ શકે છે. આનાથી એપ અચાનક બંધ થઈ જવી, હેંગ થવી કે યોગ્ય રીતે કામ ન કરવા જેવી પરેશાનીઓ વધી શકે છે.
  • બેટરી ઝડપથી ખતમ થવી: બેકગ્રાઉન્ડમાં સતત ચાલી રહેલી એક્ટિવિટી અને એપ્સ બેટરીનો વપરાશ વધારી શકે છે. આવા સમયે યુઝર્સને લાગી શકે છે કે બેટરી જૂની થઈ ગઈ છે, જ્યારે ઘણીવાર એક નોર્મલ રીસ્ટાર્ટ કરવાથી પણ આ સમસ્યા ઘણા અંશે ઓછી થઈ શકે છે.
  • નોટિફિકેશન અને સિસ્ટમ ગ્લિચ: ઘણીવાર યુઝર્સ ફરિયાદ કરતા હોય છે કે નોટિફિકેશન સમયસર નથી આવતા અથવા કેટલાક ફીચર્સ બરાબર કામ નથી કરતા. આવા નાના-મોટા સોફ્ટવેર ગ્લિચ (ખામીઓ) અવારનવાર રીસ્ટાર્ટ કરવાથી ઠીક થઈ જાય છે.

સુરક્ષાની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે રીસ્ટાર્ટ

સાયબર સુરક્ષા એક્સપર્ટ્સનું માનવું છે કે સ્માર્ટફોનને સમયસમય પર રીસ્ટાર્ટ કરવો સેફ્ટી માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કેટલાય પ્રકારના મેલવેર અને મેમરી બેઝ્ડ એટેક ફોનની રેમ (RAM) માં એક્ટિવ રહે છે. વળી, રીસ્ટાર્ટ કરવાથી આવા ઘણા ખતરાઓની એક્ટિવિટી અટકી જાય છે. જો કે, માત્ર રીસ્ટાર્ટ કરવું જ પૂરતું નથી. ફોનને સુરક્ષિત રાખવા માટે નિયમિત સોફ્ટવેર અપડેટ, મજબૂત પાસવર્ડ અને સુરક્ષિત ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની આદતો પણ ખૂબ જ જરૂરી છે.