નવી દિલ્હીઃ ભારતમાં દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે આ વાયરસ ગામડાંઓમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. આવામાં હૉસ્પીટલો, બેડ્સ અને ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની અછત સર્જાઇ છે, આ વસ્તુઓનો અભાવે લોકોના મોત રહ્યાં છે. જોકે, આ કમીને પુરી કરવા માટે સરકાર પણ કોશિશો કરી રહ્યી છે, પરંતુ ઘણીબધી જગ્યાએ લોકોને ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યાં, આ કારણે લોકો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી કામ ચલાવી રહ્યાં છે. 


ખાસ વાત છે કે કોરોના વાયરસ સીધો ફેફસા પર એટેક કરી રહ્યો છે અને જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની પણ ડિમાન્ડ વધી ગઇ છે. બહુ ઓછા લોકો હશે જે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ વિશે જાણતા હશે. આજે અમે તમને અહીં ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ વિશે જાણકારી આપી રહ્યાં છીએ. જાણો કેટલા પ્રકારના હોય છે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ અને કેવી રીત કરે છે કામ...... 


ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ શું છે?
ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ એક ડિવાઇસ છે જે હવામાંથી ઓક્સિજનને ફિલ્ટર કરે છે. જો કોઇ દર્દીનુ ઓક્સિજન લેવલ 90-94 ટકા છે, તો તે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી શ્વાસ લઇ શકે છે. આનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડે. 


ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ કઇ રીતે કામ કરે છે?
ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં ફક્ત 21 ટકા જ ઓક્સિજન હોય છે. બાકી 78 ટકા નાઇટ્રૉજન અને 1 ટકા બીજો ગેસ હોય છે. હવે ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ હવામાંથી ફક્ત ઓક્સિજનને જ ફિલ્ટર કરે છે, અને બીજા ગેસને પાછો છોડી દે છે. આનાથી દર્દીને 90-95 ટકા ઓક્સિજન મળી શકે છે.  


ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સની જરૂર ક્યારે પડે છે?
એક્સપર્ટ્સનુ કહેવુ છે કે જો ઓક્સિજન લેવલ 90-94 ટકા થવા પર ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી શ્વાસ લેવામાં મદદ મળી શકે છે. પરંતુ ઓક્સિજન લેવલ આનાથી નીચે જવાથી તમને તરત જ હૉસ્પીટલમાં એડમિટ થવાની જરૂર છે. 90 ટકાથી નીચે ઓક્સિજન લેવલ પહોંચવા પર ઓક્સિજન કન્સેન્ટ્રેટરથી આરામ નહીં મળે. 




ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને ઓક્સિજન સિલિન્ડરમાં શું છે અંતર.......
ઓક્સિજન સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજન હોય છે. જેમાં લગભગ 99 ટકા કન્સેન્ટ્રેડ ઓક્સિજન હોય છે. આમાં રહેલી એર પ્રેશરાઇઝ્ડ હોય છે. આમાં દર્દીને એક્સ્ટ્રીમલી હાઇ ફ્લૉ રેટમાં ઓક્સિજન સપ્લાય હોય છે. એક ઓક્સિજન સિલિન્ડરમાંથી એક મિનીટમાં લગભગ 15 લીટર સુધી ઓક્સિજન સપ્લાય થાય છે, આને રિફિલ કરાવવાનો હોય છે. 


વળી, ઓક્સિજન કન્સેન્ટ્રેટર 24x7 ઓપરેટ થઇ શકે છે. પરંતુ આ પ્રેશરાઇઝ્ડ ઓક્સિજન નથી આપી શકતા. આનાથી 1 મિનીટમાં માત્ર 5-10 લીટર ઓક્સિજન જ સપ્લાય થઇ શકે છે, એટલે ગંભીર રીતે બિમાર દર્દી માટે પુરતો નથી.