Ration card e kyc : રાશન  કાર્ડ ધરાવનારા વ્યક્તિઓએ e KYC કરાવવું ખૂબ જ જરુરી છે. જો તમે e KYC નહીં કરો તો તમને રાશન મળવાનું બંધ થઈ શકે છે. e KYC માટેની અંતિમ તારીખ દર વખતે લંબાવવામાં આવે છે.  આ તારીખ દરેક રાજ્ય પ્રમાણે  અલગ-અલગ હોઈ શકે છે. ટૂંકમાં રાશનકાર્ડમાં e KYC કરાવવું ખૂબ જ જરુરી છે.  જે કોઈ પણ ઈ-કેવાયસીનું કામ પૂર્ણ નહીં કરે, તો તેને રાશન મળતું બંધ થઈ શકે છે. 

Continues below advertisement

સરકારે અત્યાર સુધીમાં ઈકેવાયી સમયમર્યાદા  ઘણી વખત લંબાવી છ.   ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે  e-KYCનું કામ પૂર્ણ કરવામાં આવે.  e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

શા માટે જરૂરી છે રાશનકાર્ડ e-KYC  જરુરી છે ?

Continues below advertisement

તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer).  KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે. 

તમે ઘરે બેઠા પણ કરી શકો છો રાશનકાર્ડ e-KYC   

સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘ઈ-કેવાયસી ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે.

તમામ રેશનકાર્ડ ધારકોને તાકીદ કરવામાં આવે છે કે તેઓ ઝડપથી પોતાનું રાશનકાર્ડ ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે.  જેથી કરીને તેમને મફત રાશન અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળતા રહે.