હું તો બોલીશઃ ''બાબુઓ સામે નારાજગી કેમ?''
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Sep 2021 10:36 PM (IST)

અધિકારીઓ સાથે નેતાઓએ દોસ્તી નહીં રાખવી અને અધિકારીઓ સાથે ફોટા નહીં પડાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવેદનને ભાજપના નેતાઓ કેવી રીતે મુલવ્યુ તે મુદ્દે ભાજપના કેટલાક નેતાઓ સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી. પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ ધર્મેદ્રભાઈ શાહે તો મહાનગરમાંથી IAS અધિકારીઓને દૂર કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં IAS અધિકારીઓ ફિલ્ડમાં ન જતા હોવાથી જનતાનું દર્દ ન સમજતા હોવાનું નિવેદન આપ્યું હતું. અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહે પોતાના કૉર્પોરેશનના અનુભવનો હવાલો આપી સ્પષ્ટતા કરી કે.. મારી ધાક અને અનુભવના કારણે મારા કાર્યકાળમાં અધિકારીઓ અમારી વાત માનતા હતા