હું તો બોલીશ-લાગશે,રઝળતા ઢોર પર અંકુશ?
gujarati.abplive.com | 31 Mar 2022 09:22 PM (IST)

ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો વ્યપાક બન્યો હતો. રખડતા ઢોરને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તો સેંકડો લોકોને ઈજા પહોચી હતી. આ વાતને લઈને લોકો તરફથી સરકારને અનેક ફરિયાદો પણ કરવામાં આવી હતી. હવે સરકારે લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને કડક કાયદો બનાવ્યો છે. જેથી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ લોકોને સહન ન કરવો પડે.