વડોદરા: અડાણીયા પુલ પર દેશી બોમ્બ ફૂટતા લોકોના ટોળા ઉમટ્યા, FSLની ટીમ ઘટના સ્થળે

પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફૂટેલા દેશી બોમ્બની તપાસ કરી પરીક્ષણ માટે લેવામાં આવ્યો હતો.
વડોદરા: છેલ્લા 2 દિવસ પહેલા લગ્નના વરઘોડામાં ડી.જે બંધ કરાવવા મામલે કોમી તોફાનો ફાટી નીકળ્યા પછી આજે ફરી એક વખત દેશી બોમ્બ ઝીંકાયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલો પ્રમાણે, વડોદરાના અડાણીયા પુલ ચાર રસ્તા પર એક દેશી બોમ્બ ઝીંકાયો હતો. દેશી બોમ્બ ફૂટતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં મોડી રાત્રે લગ્નનો વરગોડા પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બબાલ થઈ હતી. જોત જોતામાં આ બબાલમાં બે જૂથના ટોળાં સામ સામે આવી જતા તોફાન વધી ગયું. જોત જોતામાં તોફાન થતા પથ્થરમારો અને પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી.