તોગડિયાએ શક્તિસિંહ ગોહિલના પૂર્વજોનાં શા માટે કર્યાં ભરપૂર વખાણ ? જાણો વિગત
હું વિશ્વ હિન્દુ પરિષદના લીડર હોવાને નાતે માંગ કરુ છુ. હું મારા મોટાભાઇ નરેન્દ્રભાઇ પાસે નહીં માંગુ તો પછી શું નવાઝ શરીફ પાસે માંગીશ.
વિહિપના નેતા પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, વિહિપ, આરએસએસ અને ભાજપ વર્ષો પહેલા જે વાત લઇને નીકળ્યો હતુ. જેમાં રામમંદિર બને, ગૌહત્યાનો કાયદો બને, 370ની કલમ દૂર થાય, આ વાતો લઇને દરેક કાર્યકર્તા લોકો સુધી પહોંચ્યા હતા અને દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી.
મારે એટલુ જ કહેવુ છે કે, હું પીએમ બનવા નથી માંગતો, પરંતુ હિન્દુઓની જે અનેક શતાબ્દીઓની જે ઇચ્છા છે તે પૂર્ણ બહુમતની સરકાર આવવાની સાથે પૂર્ણ થઇ જવી જોઇએ.
જ્યારે ટ્રિપલ તલાક મામલે તેઓએ જણાવ્યું હતું કે ટ્રિપલ તલાક હોય કે અન્ય કોઈ પણ મુદ્દો દેશમાં કોમન સિવિલ લાગુ કરવો જોઈએ, જેથી કોઇપણ સમાજની વ્યક્તિને એક સરખો ન્યાય મળે.
વડોદરાઃ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા દક્ષિણ ગુજરાત પ્રાંતની બેઠકમાં હાજરી આપવા વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, શક્તિસિંહ ગોહિલના પૂર્વજોએ ગૌરક્ષા પૂર્વજોએ ગૌરક્ષા માટે કામ કર્યુ હતુ. તેમના શક્તિસિંહના પૂર્વજ હનુભાએ ગૌરક્ષા માટે શહીદી વહોરી હતી.