પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી માટે 50થી 70 કરોડના થયા એડવાન્સ બુકિંગ, જુઓ વીડિયો

દિવાળીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે પુષ્ય નક્ષત્ર છે. સોનાની ખરીદી તેમજ ગૃહપ્રવેશ સહિત શુભકાર્યોની શરૂઆત માટે પુષ્ય નક્ષત્ર અતિ ઉત્તમ ગણાય છે. આજે પુક્ષ્યનક્ષત્રના દિવસે ગૃહપ્રવેશ, સોનાની ખરીદીની સાથે સાથે કેટલાક લોકો શુભકાર્યોની શરૂઆત કરશે. આ વખતે 59 વર્ષ બાદ લક્ષ્મી નારાયણ યોગમાં પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. આથી પુષ્ય નક્ષત્રમાં ખરીદી સ્થાયી સમૃદ્ધી આપશે તેમ જ્યોતિષોનું માનવું છે. શનિવારે અને રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તે શનિ પુષ્ય અને રવિ પુષ્ય નક્ષત્ર પણ કહેવાય છે.  સોના-ચાંદીની ખરીદીી માટે એડવાંસ બુકીંગ પણ થઈ ગયા છે.9વેપારીઓને 100 કરોડનું વેચાણ થવાનો અંદાજ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola