Ahmedabad Crime | સુહાગરાતે જ પત્નીના અફેરની પતિને કોણે કરી દીધી જાણ? પછી શું થયું?
Continues below advertisement
Ahmedabad Crime | ૬ તારીખે અપહરણની ઘટના બની હતી. પત્નીએ એ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સ્વિફ્ટ કારમાં અપહરણ થયું હતું. પુનમસિંહ નુ અપહરણ થયું હતું, જેનો મહિલા સાથે પ્રેમ સબંધ હોવાની જાણકારી પોલીસને મળી, ૬ તારીખે જ પુનમસિંહ ની પ્રેમિકા ,એટલે કે હત્યાના આરોપી જયેશ ની બહેન ના લગ્ન થયા હતા. જે દિવસે આરોપી જયેશ નામની બહેનના લગ્ન થયા એજ રાતે તેની બહેને તેના પતિને પુનમસિહ સાથે પ્રેમ હોવાની વાત કહી હતી. બહેનનાં લગ્ન જીવનમાં આ પ્રકારની ઘટના સામે આવતા જયેશ અને તેના મિત્રો એ અપહરણ કરી હત્યાનો પ્લાન ઘડ્યો. પ્રેમિકાના ફોનથી પુનમસિંહને બોલાવ્યો, જ્યાંથી તેનું અપહરણ કર્યું. નર્મદા કેનાલ પાસે લઈ જઈને બેલ્ટ વડે ગળું દબાવી હત્યા કરી કેનાલમાં ફેકી દેવામાં આવ્યો. આરોપી ૨ દિવસ લપતા હતા, ૨ કોર્ટમાં હાજર થયા અને બાકીના આરોપીને પકડી પાડયા.
Continues below advertisement