Surat Murder Case | પત્નીએ પુત્ર-જમાઇની મદદથી પતિની કરી નાંખી હત્યા, શું છે કારણ?
Surat Murder Case | સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાશ નગર ખાડી પુલ પાસે એક અજાણીયા વ્યક્તિની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. તપાસ કરતાં મરણજાનાર વ્યક્તિના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. પોલીસ ફોરેન્સિક પીએમ કરવા મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યા ગળે ટૂંકો આપ્યો હોવાનું સામે આવ્યું હતું.સાથે શરીરના ભાગે ચકામાના નિશાનો મળી આવ્યા હતા.આ વ્યક્તિની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.