Hun To Bolish | હું તો બોલીશ | પૂરનું પોસ્ટમોર્ટમ
abp asmita
Updated at:
31 Aug 2024 10:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાવાગઢના જંગલોમાંથી શરૂ થતી વિશ્વામિત્રી નદી 40થી 50 કિલોમીટરના વિસ્તારના પાણીને લઈને આગળ વધે છે. આ પાણીમાં વચ્ચે આજવા સરોવરનું પાણી ભળતા નદી વધુ ગાંડીતૂર બને છે. આ પાણી દુમાડ સુધી પહોંચે છે. અહીં વાઘોડિયા પંથકની સૂર્યા કોતરનું પાણી ભળતા નદી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ બધુ પાણી ભેગુ થઈને નેશનલ હાઈવેના બ્રિજ નીચેથી વડોદરામાં પ્રવેશ કરે છે. તે બાદમાં સમા, વુડા સર્કલ, કમાટીબાગ, કાલાઘોડા સર્કલ, અકોટા અને વડસર સુધીના બંને કાંઠા વિસ્તારમાં ઘૂસીને આગળ વધે છે. પૂરનું પાણી વડોદરાથી કલાલી થઈને પાદરા નજીક પિંગલવાડા પાસે ઢાઢર નદીમાં ઠલવાય છે. અને છેલ્લે ઢાઢરના પાણી જંબુસર પાસે કાવી કંબોઈ ખાડીમાં સમાઈ જાય છે.