Hun To Bolish : હું તો બોલીશ : માણસ નહીં માનવતા મરી !

પાલનપુરમાં માનવતા નેવે મૂકે તેવી ઘટના આવી છે સામે. બિનવારસી હાલતમાં બિનવારસી મૃતદેહને નગરપાલિકાની કચરાવાળી ટ્રોલીમાં મૂકી સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો. ચાર દિવસ પહેલા સંજય ચોક પાસેથી બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોલીસે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રાખ્યો હતો. વાલીવારસો ન મળતા નગરપાલિકાની સેનીટેશન શાખાને અંતિમવિધિ માટે જાણ કરવામાં આવી હતી.. જોકે નગરપાલિકાના સ્ટાફે મૃતદેહને કચરાવાળી ટ્રોલીમાં મૂકી સ્મશાન લઈ જઈ અંતિમક્રિયા કરી દીધી. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા. નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા આશાબેન રાવલે સત્તાધીશો પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે, નગરપાલિકામાં શબવાહીની હોવા છતા મૃતદેહને કચરા ભરેલ ટ્રેક્ટરની ટ્રોલીમાં લઈ જવાયો 

વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં મહેસાણાના કડીમાં નહોતો જળવાયો મોતનો મલાજો. નગરપાલિકાના કચરાના ડબ્બામાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બાવલુ પોલીસ સ્ટેશનની હદની નર્મદા કેનાલમાંથી કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. એટલું જ નહીં ચીફ ઓફિસરનું કહેવું હતું કે, કડી નગરપાલિકા પાસે સબવાહિની નથી જેના કારણે અન્ય વાહનોમાં સબને લાવવું પડે છે....બીજી તરફ કડી નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ સહિત એક ડઝન કરતાં વધુ વાહનો તેના વર્કશોપમાં ચાલુ હાલતમાં છે. જેનો ઉપયોગ તેઓ કરી શકતા હતા. પરંતુ આ વાહનોની જગ્યાએ કચરાના વાહનોનો તેમણે ઉપયોગ કર્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola