હું તો બોલીશઃ પવિત્રતાના નામે અંધશ્રદ્ધાના પારખા
Continues below advertisement
મહેસાણામાં અંધશ્રદ્ધામાં પરિણીતા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના ગેરીતા ગામમાં પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા. તેના પગ પર ગરમાગરમ તેલ રેડાયું હતું. પવિત્રતા ચકાસવા પરિણીતા પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. નણંદ, નણદોઈ સહિત ચાર શખ્સો પર આરોપ છે ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાને પહેલા તો ઉકળતા તેલમાં હાથ નખાવ્યા. આટલુ ઓછુ હોય તેમ પગ પર પણ ગરમા ગરમ તેલ રેડ્યું હતું. નણંદ જમનાબેનને પરિણીતાના અન્ય કોઈ પુરૂષ સાથે આડા સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. અમાનુષી અત્યાચારથી પરિણીતા હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમના પતિ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ તો વિજાપુર પોલીસે નણંદ જમનાબેન સહિત અન્ય ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement