અમદાવાદ: જીવન સંધ્યા આશ્રમમાં 42 વૃદ્ધોને કોરોના પોઝિટિવ, જુઓ વીડિયો
અમદાવાદ: અમદાવાદમાં નારાણપુરા સ્થિત જીવન સંધ્યા આશ્રમમાં 42 વૃદ્ધો કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાએ 90 જેટલા વૃદ્ધોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 42 પોઝિટિવ આવ્યા છે. એન્ટીજન ટેસ્ટમાં 42 વૃદ્ધો કોરોના પોઝોટિવ આવતા જીવનસંધ્યા વૃદ્ધાઆશ્રમ કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું છે.