Ahmedabad Bridge | ગત સપ્તાહે રાજ્ય સરકારે શહેરમાં બે બ્રિજની મંજૂરી આપ્યા બાદ અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.વાડજ જંકશન ઉપર એક સાથે ફલાયઓવર બ્રિજ અને અન્ડરપાસ બ્રિજ બનાવવામાં આવશે.જેનાથી અખબારનગર,રાણીપ,દુધેશ્વર,શાહીબાગ વિસ્તારને જોડવામાં આવશે.બ્રિજની સમય મર્યાદા 30 મહિના એટલે કે અઢી વર્ષ નક્કી કરવામાં આવી છે.બ્રિજ સરેરાશ કિંમત 108 કરોડ નક્કી કરવામાં આવી છે.