
Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપ
Continues below advertisement
Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપ
અમદાવાદના ઓઢવની રબારી વસાહતમાં તોડી પડાયા હતા દબાણો... જેને લઈ ગરમાઈ હતી રાજનીતિ. સેંકડો પરિવાર ઘરવિહોણા બનતા પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્તોની મુલાકાત લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. એવામાં હવે રબારી સમાજના આગેવાનોએ સમાજના લોકોને ખોટી રાજનીતિમાં ન પડવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. રબારી સમાજના આગેવાનોનું કહેવું છે કે, તેમણે મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે ચર્ચા કરી છે... અને આ મામલે તેઓ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે તેવું આશ્વાસન આપ્યું છે. રબારી સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો કે, કૉંગ્રેસના નેતાઓ અહીં આવી એકતા ડહોળવાનું કામ કરે છે.
Continues below advertisement