Ahmedabad Plane Crash રિપોર્ટ : છત પરથી મળી વધુ એક લાશ | Abp Asmita | 14-6-2025

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો કાટમાળ બીજે હોસ્પિટલની છત પરથી કાઢવામાં આવી રહ્યો છે. વિમાનનો પાછળનો ભાગ હજુ પણ હોસ્ટેલની છત પર છે. વિમાનના આ ભાગને દૂર કરતી વખતે, બીજો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ વિમાનના પાછળના ભાગમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. બધા લોકોએ જીવ ગુમાવ્યા છે.

 કાટમાળનું નિરીક્ષણ અનેક ટીમો  ઘટનાસ્થળે પહોંચી કરી રહી છે.  NSG, NDRF, FSL,  AAIB, DGCA અને CISF ની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 થયો છે. મુસાફરો ઉપરાંત, સ્થાનિક લોકો પણ તેમાં સામેલ છે. કાટમાળ દૂર કરવાનું કામ હજુ પણ સ્થળ પર ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને લગભગ 10 કામદારો કાટમાળ દૂર કરવામાં રોકાયેલા છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે બપોરે લંડનના ગેટવિક જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં 242 લોકો સવાર હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola