Ahmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ
Continues below advertisement
અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો છે સારવાર બાદ દર્દીના મોતનો આરોપ. બાપુનગરના નારણનગરમાં રહેતા સીમાબેન કદમવારને પથ્થરીનો દુઃખાવો થતા સારવાર માટે કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઓપરેશન બાદ સીમાબેનનું મોત થતા કોઠીયા હોસ્પિટલના તબીબોની બેદરકારીનો પરિવારજનોએ આરોપ લગાવ્યો.. પેટમાં સામાન્ય દુઃખાવો થવાથી કોઈનું મૃત્યુ ન થાય તેવો પરિવારજનોએ આરોપ લગાવ્યો. પરિવારજનોના આ જ આરોપો પર હોસ્પિટલ પ્રશાસને ખુલાસો કર્યો કે સીમાબેનને પહેલેથી જ કિડનીમાં ઈન્ફેક્શન હતુ.. આ કેસ થોડો ગંભીર હોવાની પહેલેથી જ પરિવારજનોને જાણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જ સીમાબેનનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.. પરંતુ ઓપરેશન બાદ તેમનું બ્લડ પ્રેશર અને ઈન્ફેક્શન વધતા તબીબોના પ્રયાસો બાદ પણ સીમાબેનનું મૃત્યુ નિપજ્યુ..
Continues below advertisement
Tags :
Ahmedabad