અમદાવાદ: દૂધેશ્વર સ્મશાન ગૃહના સંચાલકનો મોટો દાવો, મૃત્યુ માટેની નોંધમાં માત્ર માંદગીનું કારણ લખાય છે
અમદાવાદના દુધેશ્વર સ્મશાન ગૃહમાં છેલ્લા 24 કલાકમાં 8 ના મૃત્યુ નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં થી લવાયેલા મૃતદેહોનો સીએનજી ભઠ્ઠીમાં અહીં અંતિમ સંસ્કાર કરાય છે. તમામ મૃતકો કોરોના સંક્રમિત હોવાની વિગત આવી સામે છે. જો કે, સ્મશાન ગૃહ માં મૃત્યુ માટે ની નોંધ માં માત્ર માંદગી નું કારણ લખાય છે, કોરોના ના કારણે મૃત્યુ થયું એવી નોંધ કરાતી નથી.