Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News: ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટથી 4 આઈએસઆઈએસના આતંકી ઝડપી પાડ્યા છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના વતની છે. ડીજી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સમાં આતંકી કેવી રીતે પકડાયા, તેમની પાસેથી શું મળ્યું તેની માહિતી આપી હતી
ડીજી, વિકાસ સહાયે કહ્યું, 18 મે ના રોજ ATS ના Dysp હર્ષ ઉપાધ્યાયને 4 વ્યક્તિ મોહંમદ નુસરત, મોહંમદ ફારિસ, મોહંમદ રઝદીન અંગે મહિતી મળી. તેઓ ઈસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો હોવાની અને ભારતમાં કોઇપણ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના તથા હવાઈ કે રેલ માર્ગે આવશે તેવી માહિતી મળી હતી. જેના આધારે રણનીતિ ઘડવામાં આવી હતી. તેઓ કયા રસ્તે આવવાના હતા અને સમય અંગે માહિતી ન હોવાથી ટીમ બનાવી હતી.
દક્ષિણ ભારતથી આવતી તમામ ટ્રેન અને ફ્લાઇટનું લિસ્ટ એનાલિસિસ કરવામાં આવ્યું અને એક ટીમને તેમાં સફળતા મળી. ઇન્ડિગોની ફ્લાઈટ લિસ્ટમાં તેમના નામ મળ્યા. કોલંબોથી પણ વેરિફિકેશન કરાયું, ત્યાંથી જાણવા મળ્યું કે ચેન્નાઈ આવવાના છે. અમદાવાદ એરપોર્ટ પર એટીએસની ટીમ બનાવી વોચ રાખી હતી. 19 તારીખે ચેન્નાઈ પહોંચ્યા, જ્યાંથી સાંજે અમદાવાદ આવ્યા. જેવા અમદાવાદ એરપોર્ટ આવ્યાં ત્યાંથી અટક કરાઈ હતી.