DyCM Harsh Sanghavi: વધારાની એસટી બસના સંચાલનની સમીક્ષા કરવા ગીતા મંદિર પહોંચ્યા હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન પહોંચ્યા..જ્યાં તેણેે રાજ્યના અલગ અલગ શહેરોમાં જતા મુસાફરો સાથે ચર્ચા કરી બાદમાં બસ સ્ટેશનમાં સ્થિતિનો તાગ મેળવ્યો..સાથે જ એક્સ્ટ્રા બસને લઇને કર્મચારીઓ સાથે વાતચીત કરી દિવાળીના તહેવારની શુભકામના પાઠવી. સાથે જ બાંહેધરી આપી કે. 27 ઑક્ટોબરથી GSRTCના તમામ ડેપો પરના પરબની તપાસ કરી પાણી બચાવવાનો પ્રયાસ કરાશે..નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ હર્ષ સંઘવીએ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી... ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં તેમણે નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો.રાજ્યમાં નાગરિકોને સમયસર અને સુદ્રઢ પરિવહન સેવા પૂરી પાડવા રાતદિવસ કાર્યરત નિગમના 36 હજારથી વધુ કર્મચારીઓ માટે નાયબ મુખ્યમંત્રીએ તહેવારમાં એડવાન્સની રકમમાં બમણો વધારો કરવાની જાહેરાત કરી..