Ahmedabad Firing Case | અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ

અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સન્નાટો છે.

અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સન્નાટો છે. શનિવારે બદારામજી મોદી નામના વેપારીની સરાજાહેર હત્યા કરવામાં આવી. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આરોપી ફાયરિંગ કરી ફરાર થયા છે. વેપારીની હત્યાથી પરિવારમાં ભારે રોષ છે. આરોપી પકડાય નહીં ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો  ઈન્કાર કર્યો છે. સાથે જ મૃતકના પરિજનોનો આરોપ છે કે 14 ઓક્ટો.એ પણ બદારામજી પર હુમલો થયો હતો. હુમલાની ફરિયાદ સમયે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આરોપ લગાવ્યો. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે. 17 દિવસમાં જ ચાર-ચાર હત્યાથી અમદાવાદ રક્તરંજીત છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola