Bhavnagar Murder Case | એવું તે શું થયું કે લગ્નના 11 જ દિવસમાં પત્નીએ કરી નાંખી પતિની હત્યા?
Bhavnagar Murder Case | ભાવનગરમાં જેસર તાલુકાના જુનાપાદર ગામે નવ પરિણીત દુલ્હને પતિની હત્યા કરી. 25- 1- 2024 ના રોજ ફૂલહારથી દીપીકા વસાવા નામની મહિલા સાથે વજુભાઈ ગોહિલના લગ્ન થયા હતા. માત્ર 11 દિવસના ઘર સંસારમાં અવારનવાર ઘર કંકાશ થતા આવેશમાં આવીને પત્નીએ પતિની હત્યા કરી નાખી છે. બનાવ ગત મોડી રાતનો છે જેમાં જુના પાદર વાડીએ વજુભા ગોહિલની હત્યા કરવામાં આવી છે. બનાવ બાદ આરોપી પત્ની હત્યાને અંજામ આપીને નાસી છૂટી છે. હાલ જેસર પોલીસે 302ની કલમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.