Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: શિલ્પ સ્થાપત્યના ક્ષે્ત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ, ચંદ્રકાંત સોમપુરાનું અસ્મિતા સન્માન પુરસ્કારથી કરાયું સન્માન,જુઓ વીડિયો

અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. કળા, સંસ્કૃતિ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ ચંદ્રકાંત સોમપુરાનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola