ગાંધીનગરના કલોલમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને લઈ અમિત શાહે કલેક્ટર સાથે કરી વાતચીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Dec 2020 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બ્લાસ્ટ ગેસ લાઇનમાં લિકેજને કારણે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, તપાસ પછી સાચી વિગતો સામે આવશે. આ ઘટના ઓએનજીસી વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હોવાથી ઓએનજીસીના અધિકારી ઘટનાસ્થળે તપાસ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગૃહમંત્રી અમિત શાહે પણ નોંધ લીધી છે અને જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી જાણકારી મેળવી હતી.