પાક વીમા મુદ્દે CM રૂપાણીનું ગૃહમાં નિવેદન- ધારાસભ્યોની ફરિયાદ બાદ પાક વીમા યોજનાને તરત અટકાવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાક વીમા મુદ્દે ગૃહમાં જણાવ્યું હતું કે, ધારાસભ્યોની લાગણી હતી કે પાક વીમા કંપનીઓ પ્રીમિયમ લઈ જાય છે પછી પૈસા આપવામાં ઠાગાઠૈયા કરે છે જેના કારણે એક ઝાટકે પાક વીમા યોજનાને ગુજરાતમાં અટકાવી હતી. રાજ્ય સરકારના ધારાધોરણો અને એસડીઆરએફના ધારાધોરણો અલગ અલગ છે તેના બંનેના અલગ અલગ પરિપત્ર છે.તાપી અને નવસારીમાં ૩૩ ટકા કરતા ઓછું નુકસાન હોવાથી વળતર ચૂકવવામાં આવ્યુ નથી