Gandhinagar: રાજ્યમાં સતત બીજા દિવસે એક લાખથી વધુએ કોરોનાની રસી લીધી
ગુજરાતમાં સતત બીજા દિવસે 1 લાખથી વધુ વ્યકિતએ કોરોના વિરોધી રસીના ડોઝ લીધા. શુક્રવારે રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,23,245 વ્યક્તિઓએ કોરોનાની વેક્સિન લીધી. રાજ્યમાં અત્યારસુધીમાં 12,37,493 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું જ્યારે 2,90,011 વ્યક્તિઓને બીજા ડોઝનું એમ કુલ 15,27,504 વ્યક્તિઓનું રસીકરણ થયું