રતન ટાટા સાચા અર્થમાં રતનઃ ગોવિંદ ધોળકિયા
ટાટા ટ્રસ્ટની પહેલના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકીયાએ (Govindbhai Dholkia) રતન ટાટાને (Ratan Tata) સાચા અર્થમાં રતન ગણાવ્યા હતા. તેમણે સાચા અર્થમાં સેવા કાર્ય કર્યુ હોવાનું કહ્યું હતું. ઉપરાંત મોટી મોટી કંપનીઓ પણ આગળ આવે તેવી હાકલ કરી હતી. રાષ્ટ્રને મુશ્કેલી ઉભી થઇ છે તેમાં મદદરૂપ થવા તમામ ઉદ્યોગકારોએ આગળ આવવું જોઈએ તેમ કહ્યું હતું.