Gandhinagar : પાટીલ સાહેબે મને પૂછ્યું કે, આ 3 સીટો ઓછી કેમ આવી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 03:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય વિજય પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ 3 સીટ ઓછી કેમ આવી. એ તો અત્યારથી લાગી ગયા કે, આ ત્રણ સીટ ઓછી કેમ આવી એમ. એટલે મારા મગજમાં એવું આવ્યું કે, હવે 182 પ્રમાણે ચાલવાનું છે બધાએ, એટલું સમજી લેજો. તેમણે કાર્યકરોને શુભકામના પાઠવી હતી અને કહ્યું કે, ભાજપના હોદ્દેદાર પણ કાર્યકર તરીકે કામ કરવા ટેવાયેલા છે. તેમના આ નિવેદન સમયે પત્રકાર પરીષદમાં બધા ખડખડાટ હસી પડ્યા હતા. મુખ્યમંત્રી પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.