4 Gujaratis freed after being kidnapped in Iran: ઈરાનમાં બંધક બનાવાયેલા ચારેય અપહ્યતોનો છૂટકારો

Continues below advertisement

ઈરાનમાં બંધક બનાવાયેલા ચારેય ગુજરાતીઓનો છૂટકારો થયો હતો. ગેરકાયદે વિદેશ જવાની લાલચમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા અને બદપુરાના ચાર વ્યક્તિઓને ઑસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે, રાહતના સમાચાર એ છે કે લાંબી જહેમત અને ખંડણી ચૂકવ્યા બાદ આ ચારેયને મુક્ત કરાવી દેવામાં આવ્યા છે અને તેઓ ભારત આવવા રવાના થઈ ચૂક્યા છે.

હાલમાં ચારેય ગુજરાતીઓ દોહા પહોંચ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મોડી સાંજ સુધીમાં તે અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જતા ચારેય ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. 19 તારીખે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તહેરાનથી ચારેય ગુજરાતીઓનું અપહરણ થયું હતું. એજન્ટોએ ગોંધીને રાખીને તેમને માર માર્યો હતો. ગુજરાત અને ભારત સરકારના પ્રયાસથી તમામ ચારનો છૂટકારો થયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola