Amreli: દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો: મંચ પરથી જયેશ રાદડિયાનો હુંકાર
ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીએ 71મા જન્મ દિવસ પર પોતાના વતન અમરેલીમાં યોજ્યો અભિવાદન સમારોહ, જેમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવોની સાથે ભાજપના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ઈફ્કોના ડાયરેક્ટર જયેશ રાદડિયાએ દિલીપ સંઘાણીનો આભાર માન્યો. સાથે જ મંચ પરથી જયેશ રાદડિયાએ હુંકાર કર્યો કે, દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો.