Amreli News: બાબરાના ધરાઈ ગામે એક વ્યક્તિની સળગતી લાશ મળતા ચકચાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના બાબરા તાલુકાના ધરાઈ ગામે એક વ્યક્તિને સળગાવેલી હાલતે લાશ મળી આવતા ચકચાર મચી છે અમરેલી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.
અમરેલી જિલ્લાનું બાબરામાં મચી ગયો હડકંપ. જ્યારે એક શખ્સની હત્યા કર્યા બાદ સળગાવેલી હાલતમાં મળી આવી લાશ.રાત્રે 3 વાગ્યે પોલીસ કરી રહી હતી પેટ્રોલિંગ. આ સમયે ધરાઈ ગામ પાસે એક શંકાસ્પદ કાર કાચા રસ્તા પરથી જતાં દેખાઈ. પોલીસ જ્યારે કારની પાસે પહોંચી. તો કારથી થોડે દૂર એક વ્યક્તિની સળગેલી હાલતમાં લાશ જોઈ. પોલીસે કારમાં સવાર 3 લોકોને દબોચી પૂછપરછ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, ભાવનગરના ધીરૂભાઈ રાઠોડ નામના વ્યક્તિની હત્યા કર્યા બાદ લાશ સળગાવી દેવાઈ. હીરાની લેતીદેતીમાં હત્યા થયાનું ખુલ્યું છે.
બાબરાના ધરાઈ ગામે ગત રાત્રીના પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી કૃષ્ણનગર થી દેવળીયા તરફ જવાના કાચા માર્ગ ઉપર જતી હોવાની શંકા પોલીસને જતા પોલીસ તાપસ કરતા ફોડ કંપનીની સફેદ ગાડી શંકાસ્પદ હાલતમાં પડી હતી તે વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન થોડે દૂર એક વ્યક્તિ સળગતો જોવા મળતા બાબરા પોલીસ દ્વારા શંકાસ્પદ ત્રણેય વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણેય ઈસમોને પોલીસે રાઉન્ડ ઓફ કર્યા હતા મૃતક ભાવનગરનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ ખૂલ્યું છે, મળી આવેલ ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બાબરા પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે