Banaskantha: ઠાકોર સમાજના કાર્યક્રમમાં અલ્પેશે કહ્યું-સિંહની ગર્જના થાય ત્યારે રસ્તો ખાલી થઇ જાય છે
બનાસકાંઠાના દાંતીવાડાના ઝાત ભાડલીમાં ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. તેમણે ભાષણમાં કહ્યું કે,સિંહની ગર્જના થાય ત્યારે રસ્તો ખાલી થઈ જાય છે. અલ્પેશ ઠાકોર ફરીથી બનાસકાંઠાના ઓગડનાથ મહારાજના મંદિરથી ક્રાંતિકારી ચેતના યાત્રા શરૂ કરશે.