Banaskantha Blast Case:'કોઈ માંગ નથી બસ ભાણિયો પાછો લાવો..'મૃતકોના પરિવાજનોની હૈયાવરાળ Watch Video

Banaskantha Blast Case:'કોઈ માંગ નથી બસ ભાણિયો પાછો લાવો..'મૃતકોના પરિવાજનોની હૈયાવરાળ Watch Video

ડીસામાં બ્લાસ્ટ બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. પરિવારજનો તેમના લોકોને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે.. એક મહિલાએ કહ્યું કે, મારો ભાણિયો હતો.. 18 વર્ષનો હતો તે અહીંયા મજૂરી કામ કરતો હતો..

ડીસા જીઆઈડીસામાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે.જેમાંથી 19 લોકોની ઓળખ થઈ છે. જ્યારે બે લોકોની ઓળખ બાકી છે. મૃત્યકોના પીએમ પૂર્ણ થયા છે. તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. શ્રમિકો મૂળ મધ્ય પ્રદેશનાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મધ્ય પ્રદેશથી SDM કક્ષાનાં અધિકારીઓ મૃતદેહો લેવા માટે નીકળ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, 2021 ની સાલમાં તેને લાઈસન્સ આપવામાં આવ્યું હતું. ગોડાઈન તરીકે ઉપયોગ કરવા માટે. તેમજ 2024 ના ડિસેમ્બરમાં લાયસન્સ રીન્યુ માટે માંગ કરવામાં આવી હતી. પરંતું સ્થાનિક પોલીસ અને મામલતદારે તેની તપાસ કરી હતી. ધટના બની તે ગોડાઉનમાં અંદાજી 15 દિવસ પહેલા ફટાકડાનો ગેર કાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જીલ્લામાં અન્ય કોઈ આવા ગેરકાયદેસર ફટાકડાનાં ગોડાઉન છે કે નહી તેની તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી હાલત થઈ છે. ડીસામાં 21 લોકોનાં જીવ ગયા બાદ તંત્ર જાગ્યું છે. તેમજ ગેરકાયદેસર ગોડાઉન ધમ ધમે છે કે નહી તેની તપાસ માટે ટીમો કામે લાગી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola