અમરેલીમાં ગેરરીતિઓને ગૃહમંત્રાલય, મુખ્યમંત્રી છાવરતા હોવાનો ભાજપ નેતાનો જ આરોપ
રાજ્યમાં કાયદા વ્યવસ્થા પર વિપક્ષ અનેક વખત સવાલ ઉઠાવે છે. પરંતુ આ વખતે સવાલ ઉઠાવ્યા છે ખુદ શાસક પક્ષ ભાજપના વરિષ્ઠ નેતાએ. અમરેલીમાં ગેરરિતિઓને ગૃહમંત્રાલય, મુખ્યમંત્રી છાવરતા હોવાનો ભાજપના નેતા દિલીપ સંઘાણીએ આરોપ લગાવ્યા છે. અમરેલીમાં અનેક ગોરખધંધા ચાલતા હોવા છતા કોઈ કાર્યવાહી ન થતી હોવાનો સાંઘાણીએ આરોપ લગાવ્યો અને કહ્યું, ગૃહ વિભાગ પર મુખ્યમંત્રીનો કંટ્રોલ નથી અથવા અધિકારીઓને તે છાવરે છે.