Chaitar Vasava: દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો

દેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે. તેમના પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સાથે મારામારીના આરોપ બાદ 5 જુલાઈથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. હાલમાં, ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આજે, 5 ઑગસ્ટના રોજ પણ કોર્ટનો સમય પૂરો થઈ જવાથી આ અરજી પર ચુકાદો આવી શક્યો નથી. હવે આગામી સુનાવણી 13 ઑગસ્ટના રોજ થવાની છે, જેના કારણે તેમનો જેલવાસ વધુ લંબાશે.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથેના વિવાદ બાદ 5 જુલાઈથી જેલમાં છે. તેમની જામીન અરજી નીચલી અને સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા તેમણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આજે, 5 ઑગસ્ટના રોજ, હાઈકોર્ટમાં તેમની નિયમિત જામીન અરજી પર સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટનો સમય પૂરો થઈ જતાં મુદત પડી છે. હવે તેમની અરજી પર આગામી સુનાવણી 13 ઑગસ્ટના રોજ થશે, ત્યાં સુધી તેમનો જેલવાસ ચાલુ રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola