જૂનાગઢ ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા જેતપુરની જમીન બંજર થવાનો ભય
જૂનાગઢની ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગ મીલો વારંવાર કેમીકલ યુક્ત પાણી છોડતી હોવાથી જેતપુર અને આસપાસના કુવા અને બોરમાં પ્રદુષિત પાણી આવવાની સમસ્યા ઉભી થઈ છે સાથે સાથે આ પ્રકારના પ્રદુષિત પાણી પિયત માટે વપરાઈ રહ્યુ હોવાથી 5000 જેટલા ખેડૂતોની જમીન બંજર થવાનો ભય ખેડૂતોને લાગી રહ્યો છે.આ મામલે અવારનવાર તંત્ર સમક્ષ રજુઆત કરાઈ હોવા છતાં GPCB એ આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લીધા ન હોવાનો ખેડૂતો સતત આરોપ લગાવી રહ્યા છે.