'હવે મારે શું કહેવું, એની ઘડીઓ ગણાઇ રહી છે અને નફ્ફટ થઇને આવા નિવેદનો કરે છે...'

મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં રુપાણીને પાંચ વર્ષ પૂર્ણ થયાની ગાંધીનગરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઇ હતી. પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમિત ચાવડા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે,  અમિત ચાવડા નફ્ફ્ટ બનીને નિવેદન આપે છે. સાથે જ અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી હોવાની વાત કરી હતી. સીએમના પ્રહાર પર અમિત ચાવડાએ પલટવાર કર્યો હતો. ભીખુભાઈ દલસાણીયાના સ્થાને રત્નાકરને સંગઠન મહામંત્રી બનાવવામાં આવતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola