રાજ્યમાં લોકડાઉન નથી આવવાનું, CM રૂપાણીએ સોશિયલ મીડિયાથી કર્યું સંબોધન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને ફરી એકવાર વિશ્વાસ અપાવ્યો છે કે રાજ્યમાં કોઈ પણ સંજોગોમાં હાલ લોકડાઉન લાગુ નહી કરાય. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર નાગરિકો પાસે સહકારની અપેક્ષા રાખે છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર ગંભીરતાથી પ્રયાસ કરી રહી છે. માસ્કનો દંડ ઉઘરાવીને રૂપિયા એકત્ર કરવામાં સરકારને કોઇ રસ નથી.