ભાજપના MLA પર કોગ્રેસ પ્રવક્તાનો વ્યંગ, કહ્યુૃ-'સેવાના નામે થતો ગુનો માફ ના કરાય'
ભાજપના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાના ઈંજેક્શન આપતા વીડિયો પર કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે વ્યંગ કર્યો હતો. તેમણે કહ્યું કે વી.ડી ઝાલાવાડિયામાંથી ભાજપ અધ્યક્ષ અને આરોગ્યમંત્રીએ પ્રેરણા લેવી જોઈએ અને ભાજપે તમામ પેજ પ્રમુખને ઇન્જેક્શન આપવાની તાલીમ આપે.જેથી રાજ્યમાં ડોક્ટરની અછત છે તે આ રીતે નિવારી શકાય.સાથે જ કહ્યું કે સેવાના નામે થતો ગુનો માફ ન કરી શકાય.