બનાસકાંઠાના પાલનપુરના કરજોડા ગામે પિતાએ સાવકી પુત્રી પર આચર્યું દુષ્કર્મ
બનાસકાંઠામાં સાવકી દીકરી પર પિતાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ હતી. 13 વર્ષીય સગીર દીકરીને પિતાએ હવસનો શિકાર બનાવી હતી. બળાત્કારની ફરિયાદ થતાં હવસખોર પિતા ફરાર થઈ ગયો હતો. પાલનપુર તાલુકાના કરજોડા ગામે પિતાએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. સાવકી પુત્રી પર એક મહિનાથી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદથી મજૂરી કરવા આવેલા નરાધમે સાવકી દીકરી પર દુષ્કર્મ કર્યું હતું. પાલનપુર તાલુકા પોલીસે દુષ્કર્મ મામલે તપાસ હાથ ધરી હતી.