રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજોમાં ગ્રંથપાલની ભરતીની કરાઇ માંગ, જુઓ વીડિયો
રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કોલેજોમાં છેલ્લા ૨૨ વર્ષથી ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી. ગુજરાત રાજ્યમાં ૨૫૦ કરતા વધારે કોલેજોમાં તથા ૫૬૦૦ કરતા વધારે શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે. રાજ્યની અનુદાનીત કોલેજોમાંથી ૭૦% કોલેજોમાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે તે ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રંથપાલ લોકોનું કહેવું છે કે ગ્રંથપાલ વગરની શાળા કે કોલેજ વિના સંશોધન કાર્ય કે નવોન્મેષ પ્રકલ્પોને વેગ મળતો નથી.