Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ

Continues below advertisement

Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ

ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવામાનનો મિજાજ અચાનક બદલાયો છે અને આજથી સળંગ 3 દિવસ કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે. જામનગરના લાલપુર તાલુકામાં તો કરા સાથે વરસાદ પડતા ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે, જેને લઈને ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે.

સૌથી પહેલા વાત કરીએ જામનગરની, તો અહીંના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ ભારે બરબાદી વેરી છે. અપિયા, બબરજર, ટેભડા અને ગોવાણા સહિતના ગામોમાં અચાનક જ ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાના કારણે ખેતરોમાં ઉભા ધાણા, ઘઉં અને ચણા સહિતના રવિ પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર ઉભો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola