બનાસકાંઠામાં શંકાસ્પદ ડિપ્થેરિયાથી આઠ લોકોના મોત, થરાદમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો
કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ડીપ્થેરીયા રોગે માથું ઊંચક્યું છે. થરાદ અને ધાનેરા તાલુકામાં શંકાસ્પદ ના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. થરાદમાં ત્રણ બાળકોના શંકાસ્પદ ડીપ્થેરિયાના કારણે મોત થયા હોવાની આશંકાના પગલે થરાદ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.